Tuesday 25 July 2017

માંડણીયાની બહુચર- મેલડી વાર્તા.......

માંડણીયાની બહુચર- મેલડી.....
માંડણીયાની બહુચર- મેલડી.....વાર્તા 
વીરમગામની બાજુમાં એક નાનું સરખુ ગામ આવેલું છે. આ ગામમાં એક માંડણીયો કરીને વાઘરી હતો. આ માંડણીયો માં બહુચર- મેલડીનો ભુવો હતો. આ માંડણીયાની ઉંમર 90 વરસની થઇ પણ તેને કોઇ દીકરો- દીકરી નતી એક દીવસ માંડણીયાએ વીચાર કરીયો કે, હવે મારી ઉંમર થઇ છે, ગમે ત્યારે આ કાચી માટીનો દેહ પડી જાય. હું મરૂં તે પહેલા મારી દેવી બહુચર અને મેલડીને છેલ્લી વખત જમાડી લઉ.
આમ વીચારી માંડણીયાએ નવરાત્રીના બહુચર- મેલડીનો નવરંગો માંડવો નાખ્યો અને વાઘરીની નાતને બોલાવી. માંડણીયે બહુચર- મેલડીની જમાડી અને વાઘરીની નાતને પણ માતાજીનો પ્રસાદ લેવા માટે જમવા બેસાડી. વાઘરીની નાત માતાજીનો પ્રસાદ જમી રહી હતી ત્યારે વાઘરીની નાતમાં એક વાઘરીએ મેણું મારીયું કે, માંડણીયા હવે તું છેલ્લી વખત તારી દેવીને જમાડી લે, હવે પછી તારી દેવી નહીં જમે કેમ કે તું તો વાંઝીયો છે. હવે તારા ગામમાં કોઇ વાઘરીની નાતેય નહીં ભરાય. માંડણીયે કીધું કે મારી નાતું તમે શાંતીથી જમી લ્યો...
પણ માંડણીયા ભુવાના રૂંવાડા સમ -સમ બેઠા થઇ ગયા. અને બહુચર- મેલડીના મંદીરમાં આવી પોક મુકીને રોવા માંડ્યો. બે કલાક માંડણીયો રોયો, કેમેય કરીને માંડણીયો શાનો રહેતો નથી. પછી બહુચર- મેલડીને થયું કે, મારો ભુવો રોવે છે, મારા માંડણીયાને મારે બહુચર- મેલડીએ રૂબરૂ મળવા જાવું પડશે.અને બહુચર - મેલડી માંડણીયાને મઢમાં રૂબરૂ મળવા આવી અને કીધું કે, માંડણીયા મારા દીકરા કેમ રોવો છે.....?
માંડણીયે કીધું કે, મારા દેવી મેં તારો આ માંડવો નાખ્યો તેના કરતા તેં મને મારી નાખ્યો હોત તો સારૂં હતું.
બહુચર - મેલડીએ કીધું કે, કેમ ?
માંડણીયે કીધું કે, વાઘરીની નાતે મને વાંઝીયા મેણું મારીયું છે, આમ તો હું આ મેણું ખમી હકેત પણ હું તમારો ભુવો છું એટલે આ મેણું મારાથી નથી ખમાતું.
પછી બહુચર- મેલડી બોલી કે, માંડણીયા તારી નાતને થોડીવાર પછી મઢમાં ભેગી કર, જો મેણાનું પતીત ન આપું તો અમને બહુચર- મેલડીને રામ- રામ ન કરતો....જા....
થોડીવાર પછી વાઘરીની નાત મઢમાં ભેગી થઇ. પછી બહુચર અને મેલડી માંડણીયા ભુવાને ત્રણ તાલે ધુણવા ઉતરી. અને કીધું કે, મારી નાતું તમે મારા ભુવાને વાંઝીયા મેણું મારીયું.....
પણ માંડણીયાને આજથી નવ મહીને દીકરો આપું તો એમ માનજો કે, માંડણીયાની બહુચર- મેલડી બોલી તી.
એટલે વાઘરીની નાત બોલી કે, માં બહુચર- મેલડી, હવે આ માંડણીયાને 90 વરસની ઉંમર થઇ છે અને તેના ઘરેથી જે ડોસી છે, તેની 80 વરસની ઉંમર થઇ છે, તું આમને દીકરો કેમનો આપીશ.
એટલે બહુચર- મેલડી ફરી વોરંકો લાવી, આંસકો મારીને બોલી કે, મારી નાતું મારા મઢની બહાર જે સુકાઇ ગયેલો લીંમડો છે ને, તેના ઉપર એક કપડું ઓઢાડી દો. થોડી વાર પછી કપડું લીંમડા ઉપરથી લઇ લો. જો આ સુકાઇ ગયેલા લીંમડાને ત્રણ લીલા પાંદડા ફુટ્યા હોય તો એમ માનજો કે, હું માંડણીયાની બહુચર- મેલડી બોલ્યા પછી બીજું નહીં બોલે.
ખમા...ખમા મારી માંડણીયા ભુવાની વાઝેણ મેલડી- બહુચર....ખમા...
ખમા તારા મોંઘેરા અવતારને.......

તો મિત્રો આ હતી માંડણીયાની બહુચર- મેલડી...ની વાત… તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોવ તો લાઈક કરો અમારું પેજ Jay Shree Khodiyaar ને લાઈક કરો અને અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો...... બ્લોગ એડ્રેસ : https://balabahuchar.blogspot.com

આ વાર્તા પણ વાંચવી ગમશે..... 





No comments:

Post a Comment